આદુ અને હળદરની ખેતી પર મેળવો ₹75,000 સુધીની સબસિડી | રાઈઝોમેટીક પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ 2026
રાજ્યના ખેડૂતોની આવક વધારવા અને બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા "રાઈઝોમેટીક (આદુ-હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ" જાહેર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ આદુ અને હળદરના વાવેતર માટે ખેડૂતોને આર્થિક સહાય (સબસિડી) આપવામાં આવે છે. જો તમે પણ આદુ અથવા હળદરની ખેતી કરવાનું વિચારી રહ્યા છો, તો આ યોજનાનો લાભ અવશ્ય લો.
આ યોજનાની સંપૂર્ણ માહિતી, સહાયના ધોરણો અને નિયમો નીચે મુજબ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે.
| આદુ હળદર સહાય |
યોજનાની મુખ્ય માહિતી એક નજરમાં
| વિગત | માહિતી |
|---|---|
| યોજનાનું નામ | રાઈઝોમેટીક (આદુ-હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ |
| લાભાર્થી | રાજ્યના તમામ વર્ગના ખેડૂતો |
| ઓનલાઈન અરજીની તારીખ | 20/05/2026 થી 19/06/2026 |
| મહત્તમ સહાય | ₹૭૫,૦૦૦/- પ્રતિ હેક્ટર સુધી |
| સહાયનો વિસ્તાર | લઘુત્તમ ૦.૨૦ હેક્ટર થી મહત્તમ ૨ હેક્ટર |
કયા ખેડૂતને કેટલી સહાય મળશે? (સહાયના ધોરણો)
ખેડૂતોની જાતિ અને જમીન ખાતાના આધારે સહાયની રકમ અલગ-અલગ નક્કી કરવામાં આવી છે:
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ખેડૂતો માટે (HRT 3 અને HRT 4):ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૭૫,૦૦0/- પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે.
- સામાન્ય જાતિના નાના અને સીમાંત ખેડૂતો માટે (HRT 2):ખર્ચના ૬૫% અથવા મહત્તમ રૂ. ૬૫,૦૦૦/- પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે.
- સામાન્ય જાતિના મોટા ખેડૂતો માટે (HRT 2):ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૫૦,૦૦૦/- પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે.
યોજનાના અગત્યના નિયમો અને શરતો
અરજી કરતા પહેલા નીચેની શરતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે:
- વાવેતર વિસ્તારની મર્યાદા: આ યોજના હેઠળ ખાતાદીઠ/લાભાર્થી દીઠ ઓછામાં ઓછા ૦.૨૦ હેક્ટરથી મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર થશે.
- બિયારણ/રોપાની ખરીદી ક્યાંથી કરવી?આદુ અને હળદર પાકનું સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિંગ મટીરીયલ્સ (બિયારણ) ખેડૂતોએ પોતાની પસંદગી મુજબ નીચે દર્શાવેલ માન્ય સંસ્થાઓ પાસેથી જ ખરીદવાનું રહેશે:
- NHB (નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ) દ્વારા એક્રીડીએટેડ નર્સરી
- કૃષિ યુનિવર્સિટીઓ
- KVK (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર)
- બાગાયત ખાતું
- રાજ્યના FPO (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન)
- "A" ગ્રેડ ધરાવતી સહકારી સંસ્થાઓ
અરજી કેવી રીતે કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ નિર્ધારિત સમયગાળા દરમિયાન એટલે કે 20 મે 2026 થી 19 જૂન 2026 સુધીમાં ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે પ્રિન્ટ આઉટ સંબંધિત કચેરીમાં જમા કરાવવાની રહેશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન 1: આદુ અને હળદરની ખેતી માટેની સબસિડી યોજનામાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 જૂન 2026 છે. અરજી પ્રક્રિયા 20 મે 2026 થી શરૂ થશે.
પ્રશ્ન 2: અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ખેડૂતોને આ યોજના હેઠળ કેટલી સહાય મળશે?
જવાબ: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૭૫,૦૦૦ પ્રતિ હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર છે.
પ્રશ્ન 3: શું આ યોજના હેઠળ કોઈ પણ જગ્યાએથી બિયારણ ખરીદી શકાય છે?
જવાબ: ના, સારી ગુણવત્તા માટે ખેડૂતોએ NHB દ્વારા માન્ય નર્સરી, કૃષિ યુનિવર્સિટી, KVK, બાગાયત ખાતું, FPO અથવા "A" ગ્રેડ સહકારી સંસ્થાઓ પાસેથી જ બિયારણ (પ્લાન્ટિંગ મટીરીયલ) ખરીદવાનું રહેશે. અન્ય જગ્યાએથી ખરીદેલ બિયારણ માટે સહાય મળવાપાત્ર રહેશે નહીં.
પ્રશ્ન 4: સબસિડી મેળવવા માટે વાવેતર વિસ્તારની મર્યાદા શું છે?
જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ઓછામાં ઓછા ૦.૨૦ હેક્ટર અને મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં આદુ અથવા હળદરનું વાવેતર કરવાનું રહેશે.
પ્રશ્ન 5: સામાન્ય જાતિના નાના કે સીમાંત ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર છે?
જવાબ: સામાન્ય જાતિના નાના કે સીમાંત ખેડૂતોને ખર્ચના ૬૫% અથવા મહત્તમ રૂ. ૬૫,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે. જ્યારે સામાન્ય જાતિના મોટા ખેડૂતોને ૫૦% અથવા મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળશે.
Social Plugin