ધોરણ 6 માં પ્રવેશ માટે Common Entrance Test (સામાન્ય પ્રવેશ પરીક્ષા | હવે હોસ્ટેલમાં રહેવાની સુવિધા સાથે ધોરણ ૬ થી ૧૨ સુધીનુ વિના મુલ્યે શિક્ષણ મળશે

ધોરણ 6 માં પ્રવેશ માટે Common Entrance Test (સામાન્ય પ્રવેશ પરીક્ષા | હવે હોસ્ટેલમાં રહેવાની સુવિધા સાથે ધોરણ ૬ થી ૧૨ સુધીનુ વિના મુલ્યે શિક્ષણ મળશે

 કોમન એન્ટ્રસ ટેસ્ટ । સામાન્ય પ્રવેશ પરીક્ષા  (ધોરણ ૬)

મિત્રો,ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ને લગતી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે આવી જ એક યોજના છે જ્ઞાનશક્તિ પ્રોજેક્ટ જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ વર્ષથી ધોરણ  6 થી  12ના પ્રતિભાશાળી અને હોશિયાર વિધાર્થીઓને ઉતમ અને ફ્રી શિક્ષણ મળે તેવી સ્કુલ માં પ્રવેશ  માટે એક કોમન પરિક્ષાનું આયોજન કરેલ છે જેમાં ધોરણ ૫નો  અભ્યાસ પૂર્ણ કરેલ  વિધાર્થીઓ આ પ્રવેશ પરિક્ષા આપી શકશે  અને પાસ કરેલ વિધાર્થીઓને આસ્કુલો માં એડમિશન મળશે તો આ યોજના વિશે વિગતવાર માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું
ધોરણ 6 માં પ્રવેશ માટે Common Entrance Test 2023
સામાન્ય  પ્રવેશ પરીક્ષા 2023

 આર્ટિંકલની ટુંકમાં માહિતિ: વર્ષ ૨૦૨૩-૨૪ વર્ષથી ધોરણ  6 થી  12ના પ્રતિભાશાળી અને હોશિયાર વિધાર્થીઓને ઉતમ  અને ફ્રી  શિક્ષણ માટે યોગ્ય તક મળે તે માટે જ્ઞાન શક્તિ યોજના નીચે જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ  સ્કુલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ, રક્ષા શક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સ. આ સ્કુલમાં પ્રતિભાશાળી વિધાર્થીઓને નિશુલ્ક શિક્ષણ પુરૂ પાડવામાં આવશે  જેના માટે  કોમન પ્રવેશ પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ છે તેમાં પાસ થનાર વિધાર્થિઓને જ  આ સ્કુલમાં પ્રવેશ આપવામાં આવશે તો તો આ સ્કુલમાં એડમિશન મેળવવા માટે કઇ પાત્રતા જોઇશે? વગેરે બાબતોની માહિતિ મેળવીશુ 

 જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ યોજનાનો હેતુ શું છે ?

 આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં  ભણતા પ્રતિભાશાળી  વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી ભરપુર ગુણવત્તાવાળું  શિક્ષણ આપવું  આવશે. વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું,  નિવાસી સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમત-ગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પુરી પાડવી . પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરવો અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવી.વગેરે હેતુથી આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવેલ છે.


 જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ યોજનામાં કોને પ્રવેશ મળી શકશે છે?

પ્રવેશ માટેની યોગ્યતા:

સરકારી અને ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પુરો કરનાર વિધાર્થીઓ ઉપરની તમામ શાળાઓમાં ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના  મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.

સ્વનિર્ભર , ખાનગી શાળાઓના ધોરણ5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલ્સના ધોરણ ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬ માં પ્રવેશ આપવામાં આવશે.

રક્ષાશક્તિ સ્કુલમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાંઆ વશે.

 

 જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ  યોજનાનાં  ફોર્મ સાથે કયા  ડોક્યુમેન્ટ જોડવાના હોય છે ?


 અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના ના વિધાર્થીઓ માટે સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર      હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું થશે

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા નોન ક્રિમીલીયર સર્ટી પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું થશે.

 આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.

 વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર જે લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશસમયે રજુ કરવાનું રહેશે.

  જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ  યોજના ના લાભ શુ છે ?

આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી અને હોશિયાર વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ સુવિધાઓથી ભરપુર ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં આવશે, વિધાર્થીઓના વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમત-ગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઊતમ સામગ્રી વગેરે સુવિધાઓ મફત આપવામાં આવશે. પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભા નો વિકાસ કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.

  


 વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપવી પડશે

વિદ્યાર્થીએ વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.

હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને આપની શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે

વિદ્યાર્થીએ હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવારઅભ્યાસ કરવો. હોલ ટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય.


 હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિકકા કરવાના રહેશે તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે.

સરકારી શાળામાં અભયાસ કરતા બાળકના વાલીએ સ્કુલમાંથી જ અરજી કરાવવાની થશે 

 વધુ માહિતીની જરૂરી જણાય તો ચાલુ કામકાજના દિવસે શાળા સમય દરમ્યાન બી.આર.સી. ટી.પી.ઇ.ઓ.શ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે. ટી.પી.ઇ.ઓ. કચેરી માટે સંબંધિત તાલુકા પંચાયતની કચેરીમાં સંપર્ક કરી શકાશે.

પ્રવેશ પરિક્ષાનું માળખું
કુલ ગુણ: ૧૨૦ સમય:૧૨૦ મિનિટ

પ્રશ્નો નું માળખું

વિષયનું નામ

 પ્રશ્નો

ગુણ

પર્યાવરણ

૨૦

૨૦

ગુજરાતી

૨૦

૨૦

અંગ્રેજી-હિન્દી

૨૦

૨૦

તાર્કિક ક્ષમતા કસોટી

30

30

ગણિત સજ્જતા

30

30

કુલ

૧૨૦

૧૨૦

 પરિક્ષાનું માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પરિક્ષા કઇ ભાષામાં આપવી છે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તે મુજબ પરિક્ષા આપવા મળશે. 

આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

Post a Comment

0 Comments

Close Menu