Vikram Sarabhai Scholarship 2025
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન સહાય 2025
ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા સ્થપાયેલ વિક્રમ
સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ખુબ સરસ કામગીરી કરવામાં આવે છે. જેમાં એક છે. વિક્રમ સારા ભાઇ
પ્રોત્સાહન સહાય યોજના (વિકાસ શિષ્યવૃતિ)
જેમાં ગુજરાતના અંતરિયાળ ગામોમાં
અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિને કારણે આગળ ભણી શકતા નથી
તેવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરવા ના
હેતુ માટે આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ શિષ્યવૃતિ માં કુલ ૧,૦૦,૦૦૦/
એક લાખની શિષ્યવુતિ આપવામાં છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 જાન્યુઆરી 2025 છે
આ આર્ટિકલમાં તેના વિશે વિગતવાર માહિતિ મેળવીશું
![]() |
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન સહાય યોજના |
વિક્રમ સારાભાઇ શિષ્યવૃતિ સહાયના હાઇલાઇટ પોઇન્ટ
આર્ટિકલનું નામ |
વિક્રમ સારાભાઇ
શિષ્યવૃતિ યોજના |
અરજી કોણ કરી શકે |
ધોરણ ૮ માં અભ્યાસ
કરતો વિધાર્થી |
ઓનલાઇન રજીસ્ટ્રેશન
કરવા માટે |
|
ઓનલાઇન લોગીન કરી
ફોર્મ ભરવા માટે |
|
પરીક્ષા કેન્દ્રો
નું લિસ્ટ |
|
અરજી કરવાની છેલ્લી
તારીખ |
03/01/2025 |
અમારી સાથે
વ્હોટ્સેપથી જોડાવા માટે |
Vikram Sarabhai Scholarship 2025 Important Date (વિક્રમ
સારાભાઇ શિષ્યવૃતિ યોજના અગત્યની તારીખ
2025
જે વિદ્યાર્થી મિત્રો આ શિષ્યવૃત્તિનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેઓએ 03 જાન્યુઆરી 2025 સાંજના 5:00 વાગ્યા
સુધીમાં ફોર્મ https://www.prl.res.in/ પર ઓનલાઇન ભરી શકાશે. જેની
પરિક્ષા 19 જાન્યુઆરી
2025 ના
રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ
યોજના નો લાભ મળવાપાત્ર થશે.
વિક્રમ સારાભાઇ શિષ્યવૃતિ યોજનાનો લાભ મેળવવા માટેની જરૂરી સૂચનાઓ.
- આ
યોજનાનો લાભ ગ્રામીણ વિસ્તારમાં વસતા આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી
વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે તેમજ વિજ્ઞાન ક્ષેત્રે નામના મેળવવા
માટે આર્થિક મદદ કરવામાં આવે છે.
- આ
યોજના ફક્ત ગ્રામીણ વિસ્તારમાં ભણતા અને ઓછી આવક ધરાવતા વિદ્યાર્થી ઓને જ
આપવામાં આવે છે.
- જે
પરિવારની વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખથી ઓછી હોય તેવા પરિવારના ધોરણ આઠમાં
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે, તેવા વિદ્યાર્થીઓ ઓનલાઇન
અરજી કરી શકશે.
- આ
યોજના હેઠળ કુલ 10 વિદ્યાર્થી
ઓને દર વર્ષે શિષ્યવૃતિ આપવામાં આવે છે જેમાંથી 50% કન્યા વિદ્યાર્થીઓની
પસંદગી કરવામાં આવે છે.
- પસંદગી
પામેલ વિદ્યાર્થી ઓને ચાર વર્ષના સમયગાળા દરમિયાન એક લાખ રૂપિયા ની
શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ ધોરણ સાતની ટકાવારી, તેમજ કુટુંબની વાર્ષિક આવક તથા પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. તેમજ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી સહાય મળવાપાત્ર થશે.
વિક્રમ સારાભાઇ શિષ્યવૃતિ સહાયનું ધોરણ
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના હેઠળ પસંદગી પામેલ વિદ્યાર્થી ઓને
ચાર વર્ષના સમયગાળા દરમિયાન કુલ 1 લાખ
રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં ધોરણ નવમાં 20,000
રૂપિયાની સહાય ધોરણ 10માં
20,000 રૂપિયાની
સહાય કરવામાં આવે છે જ્યારે ધોરણ 11
માં 30 હજાર
રૂપિયાની સહાય અને ધોરણ 12 માં
30000 ની
સહાય જે વિજ્ઞાન પ્રવાહ માટે કરવામાં આવે છે આમ કુલ ચાર વર્ષ મળીને ₹1,00,000 ની શિષ્યવૃતિ સહાયરૂપે
આપવામાં આવે છે.
વિક્રમ સારાભાઇ શિષ્યવૃતિ માટે કોણ અરજી કરી શકશે.
હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વર્ષ 2025 ની શિષ્યવૃત્તિ માટે અરજી
કરવા માટે લાયક ગણાશે.
વિક્રમ સારાભાઇ શિષ્યવૃતિની ઓનલાઇન અરજી કરવાની માહિતી
- આ
યોજના હેઠળ અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌપ્રથમ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી
અમદાવાદની ઓફિસિયલ વેબસાઈટ પર https://www.prl.res.in/ રજીસ્ટ્રેશન કરવાનું
રહેશે
- જેમાં
વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન મેનુ પર ક્લિક કરવાનું થશે.
- જેમાં
શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે તેમાં yes સિલેક્ટ કરી માગ્યા
મુજબની વિગતો ભરવાની રહેશે.
- જેમાં
વિદ્યાર્થીઓનું નામ સરનામું શાળાનું નામ વગેરે જેવી તમામ વિગતો ભરીને યુઝરનેમ
અને પાસવર્ડ બનાવવાનો રહેશે.
- છેલ્લે
વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ ફોર્મ કરી સબમિટ કરવાનું
થશે.
- રજીસ્ટ્રેશન
ની પ્રક્રિયા પૂરી થયા બાદ લોગીન મેનોમાં જઈ યુઝરનેમ પાસવર્ડ અને દર્શાવેલ
કોડ નાખીને લોગીન કરવાનો રહેશે.
- જેમાં
નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે.
વિક્રમ સારાભાઇ શિષ્યવૃતિની ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાના થતા જરૂરી ડોક્યુમેન્ટ.
- આવકનો
દાખલો
- વિદ્યાર્થી
નો ફોટો
- જાતિ
અંગે નો દાખલો
- સ્કૂલના
આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર
- ધોરણ
7 ની
માર્કશીટ
- બેંક
ખાતાની વિગત (જો વિદ્યાર્થીની પસંદગી થશે તો આ શાખામાં સહાય જમા કરવામાં
આવશે.)
વિક્રમ સારાભાઇ શિષ્યવૃતિ સહાય માટે લેવામાં આવતી પરીક્ષાની માહિતી.
- આ પરીક્ષા તારીખ 19 જાન્યુઆરી 2025 રવિવારના રોજ યોજવામાં આવનાર છે.
- પરીક્ષાનો સમય અને તારીખની વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે.
- પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે.
- પરીક્ષામાં જનરલ નોલેજ અને યોગ્યતાની ચકાસણી કરતા એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે.
- દરેક સાચા જવાબ માટે ત્રણ માર્ક્સ આપવામાં આવશે અને ખોટા જવાબ માટે માઇનસ એક માર્કસ ગણવામાં આવશે.
- પ્રશ્ન પેપર અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ભાષામાં રહેશે.
- યોજનામાં આવનાર પરીક્ષા કેન્દ્રોનું લિસ્ટ ઓફિસિયલ વેબસાઈટ પર આપવામાં આવેલ છે તથા અહીં નીચે ડાયરેક્ટ લિંક દ્વારા પણ તમે આ પરીક્ષા કેન્દ્રનું સંપૂર્ણ લિસ્ટ જોઈ શકો છો.
0 Comments