Gyan Sadhana Scholarship Yojana 2024 | ધોરણ 9 થી 12માં મળશે સ્કોલરશીપ, 2024 ની પરીક્ષા તારીખ જાહેર

Gyan Sadhana Scholarship Yojana 2024 | ધોરણ 9 થી 12માં મળશે સ્કોલરશીપ, 2024 ની પરીક્ષા તારીખ જાહેર

Gyan Sadhana Scholarship Yojana 2024: ધોરણ 9 થી 12માં મળશે  સ્કોલરશીપ, 2024 ની પરીક્ષા તારીખ જાહેર

 

Gyan Sadhana Scholarship Yojana 2024
Gyan Sadhana Scholarship Yojana 2024

 

Gyan Sadhana Scholarship Yojana: ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જરુરિયાત મંદ વિધાર્થીઓને શિક્ષણમાં મદદ મળી રહે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તે જ રીતે હોશિયાર અને જરૂરીયાતમંદ વિધાર્થીઓ . ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી Gyan Sadhana Scholarship Yojana અમલમા મૂકવામા આવી છે. આ યોજના અંતર્ગત 2024 માટે પરીક્ષા તારીખ પણ જાહેર કરવામા આવી છે.

Gyan Sadhana Scholarship Yojana

હાઇલાઇટ પોઇન્ટ ઓફ જ્ઞાન સાધના યોજના

યોજનાનુ નામ

મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024 ( Gyan Sadhana Scholarship Yojana )

યોજના અમલીકરણ વિભાગ

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ

યોજનાના લાભાર્થી

ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

સ્કોલરશીપ સહાય

ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ સહાય
ધોરણ 11 થી 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.25000 સ્કોલરશીપ સહાય

પરીક્ષાની તારીખ

30-3-2024

પસંદગી પ્રક્રિયા

પરીક્ષા બાદ મેરીટ ના ધોરણે

ઓફિશીયલ વેબસાઇટ

https://gssyguj.in, www.sebexam.org

આ પણ વાંચો 

જ્ઞાન સાધના સ્કોલરશિપ 2024 ધોરણ ૮  માં ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો 

જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપ 2024  ધોરણ ૫  માં ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો 

મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં ફોર્મ ભરવાની પાત્રતા

·        ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે.

·        રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % ક્વોટા અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ હોય અને હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે.

 પરીક્ષા ફોર્મ અને પરીક્ષા તારીખ

·        પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો હજુ જાહેર કરવામા આવી નથી. જે હવે પછી જાહેર કરવામા આવશે.

·         પરીક્ષા ફોર્મ ભરવાની શરૂઆત થયે વિદ્યાર્થીઓને તેમની શાળા જાણ કરશે. આ પરીક્ષાના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ એ પરીક્ષા ફી ભરવાની નથી.

·        Gyan Sadhana Scholarship Yojana ના લાભાર્થી વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવે છે. ચાલુ વર્ષ માટે પરીક્ષા તારીખ જાહેર કરવામા આવે છે. ચાલુ વર્ષે આ યોજના અન્વયે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તા. 31-3-2024  ના રોજ પરીક્ષા લેવામા આવશે.

જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પરિક્ષાનું માળખું.

Gyan Sadhana Scholarship Yojana મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે કરવામા આવે છે. જેમા લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે  છે.

કુલ ગુણ:  ૧૨૦ સમય:૧૫૦  મિનિટ

અભ્યાસક્રમ

કસોટીનો પ્રકાર

પ્રશ્નો

ગુણ

સમય

(૧) MAT બૌધ્ધિક યોગ્યતા

૪૦

૪૦

૧૫૦ મિનિટ

(2)SAT શૈક્ષણિક યોગ્યતા

૮૦

૮૦

MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દીક તાર્કિક ગણતરીના રહેછે જેમાં સાદ્રશ્યવર્ગિકરણસંખ્યાત્મક શ્રેણી, પેટર્નછુપાયેલી આકૃતિ, જેવા વિષયોના આધારે રહેશે

SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નોનું માળખું

વિષયનું નામ

 પ્રશ્નો

ગુણ

વિજ્ઞાન

૨૦

૨૦

ગુજરાતી

૧૦

૧૦

અંગ્રેજી-

૧૦

૧૦

હિન્દી

ગણિત

૨૦

૨૦

સામાજિક વિજ્ઞાન

૧૫

૧૫

કુલ

૮૦

૮૦

 

 

 

ઉપરનો અભ્યાસક્રમ ધોરણ ૮ ના ઉપરના વિષયો મુજબનો રહેશે.

પરિક્ષાનું માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પરિક્ષા કઇ ભાષામાં આપવી છે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તે મુજબ પરિક્ષા આપવા મળશે. 

મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં કેટલી રકમ આપવામાં આવે છે જાણૉ ?

Gyan Sadhana Scholarship Yojana માં કટ ઓફ મેરીટ ના આધારે પસંદ થયેલ 25000 વિદ્યાર્થીઓ સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબની સ્વનિર્ભર  સ્કુલમાં એડમિશન લે છે તો  નીચે મુજબ સ્કોલરશીપ આપવામાં આવે છે.

·        ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળશે.

·        ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળશે.

 જો વિદ્યાર્થી ધોરણ 9 માં કોઇ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

·        ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.

·        ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.

ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમા ના પાસ થાય અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.

મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં આવક મર્યાદા કેટલી છે ?

·        Gyan Sadhana Scholarship Yojana મા પરીક્ષા ફોર્મ ભરવા માટે સરકારી કે ગ્રાન્ટેડ શાળા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઇપણ જાતની આવક મર્યાદા નથી

·        પરંતુ RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફોર્મ ભરવા માટે RTE પ્રવેશ માટે નિયત કરવામા આવેલી આવકમર્યાદા કરતા વધારે ના હોવી જોઇએ.

મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં અરજી કરવા તથા વિગતે માહીતી માટેની લિંક

જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજનાનો ઠરાવ ડાઉનલોડ કરવા માટે 

અહિં ક્લીક કરો

મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનાની ઓફીસીયલ વેબસાઇટ

અહિં ક્લીક કરો

પરિક્ષા કેન્દ્ર

પરિક્ષા માટે નોંધાયેલ વિધાર્થીઓની તેમજ વહિવટી અનુકુળતા મુજબ જે તે તાલુકા મથકે પરિક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે.

જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષા માટે BOOK PDF Download 




મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ તેમની પસંદગીની સ્વનિર્ભર/ સરકારી શાળાઓમાં અભ્યાસ કરી શકે.  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

 

Post a Comment

0 Comments

Close Menu