જાણો ભારતના બંધારણનો પાયો કેવી રીતે નંખાયો? (UPSC/GPSC Special)
બંધારણના મુખ્ય તબક્કાવાર (Points) ઇતિહાસ
૧. કંપની શાસન (૧૭૭૩-૧૮૫૮)
• નિયામક ધારો ૧૭૭૩ (Regulating Act 1773): આ કાયદો ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખનાર પ્રથમ કાયદો હતો. તેના દ્વારા બંગાળના ગવર્નરને 'ગવર્નર જનરલ ઓફ બંગાળ' બનાવવામાં આવ્યા અને તેમની મદદ માટે ૪ સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ રચવામાં આવી. વોરેન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. આ કાયદા હેઠળ ૧૭૭૪માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને ત્રણ અન્ય ન્યાયાધીશો હતા.
• ચાર્ટર એક્ટ ૧૮૩૩ (Charter Act 1833): આ કાયદાએ ભારતમાં કેન્દ્રીયકરણની પ્રક્રિયાને મજબૂત બનાવી. બંગાળના ગવર્નર જનરલને હવે 'ભારતના ગવર્નર જનરલ' બનાવવામાં આવ્યા અને લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. કંપની હવે માત્ર એક વહીવટી સંસ્થા બની ગઈ.
૨. તાજનું શાસન (૧૮૫૮-૧૯૪૭)
• ભારત સરકાર અધિનિયમ ૧૮૫૮ (Govt of India Act 1858): આ કાયદાને 'ભારતના સારા શાસન માટેનો કાયદો' (Act for Good Government) કહેવામાં આવ્યો. ગવર્નર જનરલનું પદ બદલીને 'વાઈસરોય' કરવામાં આવ્યું અને લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઈસરોય બન્યા. આ કાયદાથી 'સેક્રેટરી ઓફ સ્ટેટ' (ભારત મંત્રી) નું નવું પદ ઊભું કરવામાં આવ્યું.
• મોર્લે-મિન્ટો સુધારા ૧૯૦૯ (Indian Councils Act 1909): આ સુધારા દ્વારા કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોના કદમાં વધારો કરવામાં આવ્યો. સૌથી વિવાદાસ્પદ જોગવાઈ મુસ્લિમો માટે 'અલગ મતદાર મંડળ' (Separate Electorate) ની હતી, જેણે કોમવાદને કાયદાકીય સ્વરૂપ આપ્યું. સત્યેન્દ્ર પ્રસાદ સિંહા વાઈસરોયની કારોબારી પરિષદમાં જોડાનાર પ્રથમ ભારતીય બન્યા.
૩. ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ (Government of India Act 1935)
આ કાયદો ભારતીય બંધારણનો 'બ્લુપ્રિન્ટ' ગણાય છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ હતી:
• પ્રાંતીય સ્વાયત્તતા (Provincial Autonomy): પ્રાંતોમાંથી દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી તેમને સ્વાયત્તતા આપવામાં આવી.
• સત્તાનું વિભાજન: સત્તાને કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે ત્રણ યાદીમાં વહેંચવામાં આવી: સંઘ યાદી, પ્રાંત યાદી અને સંયુક્ત યાદી.
• આ કાયદા દ્વારા લગભગ ૧૦% વસ્તીને મતાધિકાર મળ્યો.
૪. બંધારણ સભા અને આઝાદી (૧૯૪૬-૧૯૫૦)
• કેબિનેટ મિશન (૧૯૪૬): ભારતનું બંધારણ ઘડવા માટે ૧૯૪૬માં કેબિનેટ મિશનની ભલામણથી બંધારણ સભાની રચના કરવામાં આવી. ૧૯૩૫ના કાયદા હેઠળ થયેલી ચૂંટણીઓના આધારે પ્રાંતિક ધારાસભાઓ દ્વારા બંધારણ સભાના સભ્યો ચૂંટાયા હતા.
આમ, ૧૭૭૩ ના રેગ્યુલેટિંગ એક્ટથી શરૂ થયેલી આ બંધારણીય યાત્રા ૧૯૫૦ માં ભારતના પ્રજાસત્તાક બંધારણના અમલ સાથે પૂર્ણ થઈ, જેમાં ૧૯૩૫ ના કાયદાનો સૌથી મોટો પ્રભાવ જોવા મળે છે.
.png)
Social Plugin