Jawahar navodaya vidyalaya admission 2027 : ધોરણ 6 માં મફત શિક્ષણ માટે ઓનલાઇન ફોર્મ શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

Jawahar navodaya vidyalaya admission 2027 : ધોરણ 6 માં મફત શિક્ષણ માટે ઓનલાઇન ફોર્મ શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2027: ધોરણ 6 માં મફત શિક્ષણ માટે ઓનલાઇન ફોર્મ શરૂ, જાણો સંપૂર્ણ વિગતો
नवोदय विद्यालय प्रवेश परीक्षा 2027:
नवोदय विद्यालय प्रवेश परीक्षा 2027

નમસ્કાર મિત્રો, SarkariYojanaGujarat અને bkgujarat.com બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમારું બાળક અત્યારે ધોરણ 5 માં ભણી રહ્યું છે અને તમે તેને ભારત સરકારની સૌથી પ્રતિષ્ઠિત અને તમામ સુવિધાઓથી સજ્જ નવોદય વિદ્યાલયમાં ભણાવવા માંગો છો, તો ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા શૈક્ષણિક સત્ર 2027-28 માટે ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા (JNVST 2027) માટેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે. આ લેખમાં આપણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને લાયકાતની સંપૂર્ણ વિગતો મેળવીશું.

નવોદય વિદ્યાલય કેમ શ્રેષ્ઠ છે?
ભારત સરકાર દ્વારા દરેક જિલ્લામાં એક નવોદય શાળા સ્થાપવામાં આવી છે. આ એક સંપૂર્ણ રહેણાંક (Residential) સ્કૂલ છે જ્યાં વિદ્યાર્થીઓને રહેવા, જમવા, યુનિ
ફોર્મ અને ભણવાના પુસ્તકો સહિતનું તમામ શિક્ષણ
તદ્દન મફત આપવામાં આવે છે.

📅 મહત્વની તારીખો (Important Dates)

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31-07-2026
નવોદય પ્રવેશ પરીક્ષાની તારીખ 28-11-2026
પરીક્ષાનું પરિણામ (Result) માર્ચ 2027 (સંભવિત)

🎓 કોણ ફોર્મ ભરી શકે? (Eligibility Criteria)

  • સ્થાનિક વતની: વિદ્યાર્થી જે તે જિલ્લાનો વતની હોવો જોઈએ અને સત્ર 2026-27 માં તે જ જિલ્લાની સરકારી કે માન્યાતા પ્રાપ્ત શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • જન્મ તારીખ (Age Limit): વિદ્યાર્થીનો જન્મ 01-05-2015 થી 31-07-2017 ની વચ્ચે થયેલો હોવો જોઈએ (આ બંને તારીખોનો પણ સમાવેશ થાય છે).
  • અભ્યાસની વિગત: વિદ્યાર્થીએ ધોરણ 3, 4 અને 5 નો આખો શૈક્ષણિક સત્ર પૂર્ણ ભણેલો હોવો જોઈએ.
  • એક જ તક: કોઈ પણ વિદ્યાર્થી બીજી વખત આ પરીક્ષા આપી શકશે નહીં. રીપીટર વિદ્યાર્થીઓ આ માટે પાત્ર નથી.

📝 પરીક્ષા પદ્ધતિ અને ગુણ (Exam Pattern)

નવોદયની આ પરીક્ષા કુલ 2 કલાકની રહેશે (સવારે 11:30 થી બપોરે 01:30 વાગ્યા સુધી). પરીક્ષામાં કુલ 80 ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે જેના કુલ 100 માર્ક્સ રહેશે. આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.

માનસિક ક્ષમતા કસોટી + EVS 40 પ્રશ્નો (50 ગુણ)
અંકગણિત કસોટી (ગણિત) 20 પ્રશ્નો (25 ગુણ)
ભાષા કસોટી (ગુજરાતી/અંગ્રેજી) 20 પ્રશ્નો (25 ગુણ)

📂 જરૂરી દસ્તાવેજો (Required Documents)

ઓનલાઇન અરજી કરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે (સાઈઝ: 10 થી 100 KB):

  1. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  2. વિદ્યાર્થીની સહી (Signature)
  3. વાલીની સહી
  4. શાળાના આચાર્ય દ્વારા સહી-સિક્કા કરેલું પ્રમાણપત્ર
  5. આધાર કાર્ડ અથવા વાલીનું સરકારી રહેઠાણ પ્રમાણપત્ર

🧮 જુના પેપરના ગણિતના પ્રશ્નો અને સોલ્યુશન (Maths Examples)

ઉદાહરણ 1: 1000 નું અવિભાજ્ય અવયવીકરણ (Prime Factorization) નીચેનામાંથી કયું છે?

A. 10 × 10 × 10    B. 2 × 5 × 5 × 10    C. 2 × 2 × 2 × 5 × 5    D. 2 × 2 × 2 × 5 × 5 × 5

સાચો જવાબ: D

*સમજૂતી: અવિભાજ્ય અવયવીકરણમાં બધી સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ. અહીં 2 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે અને તેમનો ગુણાકાર 1000 થાય છે.
ઉદાહરણ 2: પ્રથમ ચાર એકી (Odd) સંખ્યાઓની સરેરાશ કેટલી થાય?

A. 5    B. 4    C. 3    D. 16

સાચો જવાબ: B

*સમજૂતી: પ્રથમ ચાર એકી સંખ્યાઓ 1, 3, 5 અને 7 છે. સરેરાશ = (1 + 3 + 5 + 7) / 4 = 16 / 4 = 4.

🔗 મહત્વની લિંક્સ અને સોશિયલ મીડિયા ગ્રુપ્સ

રોજિંદા શિક્ષણ અને સરકારી યોજનાઓની અપડેટ ઝડપથી મેળવવા માટે અમારા ગ્રુપ્સમાં જોડાઓ અને ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો:

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

પ્રશ્ન 1: શું આ પરીક્ષા માટે કોઈ ફોર્મ ફી આપવાની હોય છે?
જવાબ: ના, નવોદય પ્રવેશ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ સંપૂર્ણપણે મફત છે, આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી હોતી નથી.
પ્રશ્ન 2: ગ્રામીણ (Rural) વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કેટલી બેઠકો અનામત હોય છે?
જવાબ: નવોદય વિદ્યાલયમાં જિલ્લાની કુલ બેઠકોમાંથી 75% બેઠકો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે.
Close Menu